Did You Know On Famous people (18)
- 'ગાંધી' ફેઈમ નિર્દેશક રિચર્ડ એટનબરોનું ૯૦ વર્ષે નિધન થયું છે.
ગાંધી ફિલ્મ ઓસ્કાર વિજેતા હતી.
એટનબરોએ બ્રિટનમાં ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.
- ૪૪ વર્ પછી મૂળ ભારતીય વિદ્યાર્થીએ (ધીરજ) બ્લેક હોલ શોધ્યું.
- ૫૩ વર્ષીય રોના ફેરડેહ વિશ્વની પ્રખ્યાત સમાચાર સંસ્થા બીબીસી ટ્રસ્ટના પ્રથમ મહિલા વડા બનવાના છે.
- અનંતમૂર્તિ-: નરેન્દ્રમોદી વડાપ્રધાન બનશે તો દેશ છોડીને જતો રહીશ તેમ કહીને વિવાદ છેડનાર જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કન્નડ લેખક યુ આર અનંતમૂર્તિનું ૮૧ વર્ષની વયે અવસાન થયું છે.૧૯૯૪ માં તેમને ભારતીય સાહિત્યનો સૌથી મોટો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- અભિનેતા રાવ પર અમેરિકન પોસ્ટ ટિકિટ બહાર પાડશે.
- અમેરિકાના ભારતીય મૂળના વૈજ્ઞાનિક સંગીતા ભાટીયાને ૧.૫૯ કરોડનો હેજ એવોર્ડ જીત્યો.તેને કૃત્રિમ માનવ માઈક્રોલિવર પર ડ્રગ ટેસ્ટીંગ કર્યું હતું.
- અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળના અતુલ કેશયનને શ્રીલંકા તથા માલદીવના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે.
- આજે શ્રીદેવીનો જન્મદિવસ છે.તેનું મૂળ નામ અમ્મા યંગેર અયાપ્પન છે.તેની પહેલી ફિલ્મ 'સોલવા' સાવન અને હીટ ફિલ્મ 'હિમ્મતવાલા'હતી.
- આર.જે.કામા.-: ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રીઝના આધ્યસ્થાપક અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી અજાતશત્રુ,બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા જહાંગીર આર.જે.કામા.નું ૭૬ વર્ષની વયે અમદાવાદની હોસ્પિ.માં નિધન થયું.
- ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા વાડીલાલ જૂથના સંસ્થાપક અને ચેરમેન એમિરેટ્સ રામચંદ્ર ગાંધીનું મંગળવારે ૧૯ ઓગસ્ટના રોજ ૮૭ વર્ષે નિધન થયું.
- દાદાભાઈ નવરોજજી-: ભારતીય કોંગ્રેસ સમિતિના સ્થાપક સભ્ય,બ્રિટનમાં પહેલી ભારતીય કંપની શરૂ કરનાર અને બ્રિટનના પહેલા એશિયન સાંસદ આ પારસી પારસી પ્રતિભાનો જન્મ આજના દિવસે(૪-૯-૨૦૧૪)મુંબઈમાં થયો હતો.
- ભારતના જુદા જુદા રાજ્યોના રાજ્યપાલ નીચે છે.
કર્ણાટક- વજુભાઈવાળા
રાજસ્થાન-કલ્યાણસિંહ
મહારાષ્ટ્ર- વિદ્યાસાગર
પ.બંગાળ - કેસરીનાથ ત્રિપાઠી
છત્તીસગઢ- બલરામજી ટડંન
નાગાલેંડ-પદ્મનાભ આચાર્ય
હરિયાણા- કપ્તાનસિંહ સોલંકી
ગોવા- મૃદુલા સિંહા
- ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ ગુલામ હુસેન એસાજી વહાણવટીનું ૬૫ વર્ષે હાર્ટ એટેકના હુમલાથી મોત થયું છે.
- ભારતીય મૂળના મંજુલ ભાર્ગવને મેથેમેટિક્સ માટે આ વર્ષે સૌથી મોટું ફિલ્ડ્સ મેથ્સ મેડલ પારિતોષિક અપાયું.
- મધર ટેરેસા-: એઇડ્સ લેપ્રેસી અને ટ્યૂબર ક્યુલોસીસના દર્દીઓની સારસંભાળ સહિત માનવકલ્યાણમાં અનેક કાર્યો માટે જાણીતી મિશનરીની સ્થાપના કરનાર મધર ટેરેસાનો જન્મ વર્ષ ૧૯૧૦ માં આજના દિવસે(૨૬ ઓગસ્ટના) મેસેડોનીયામાં થયો હતો.
- માર્ટિન કપૂર-: ૩૨ વર્ષ પહેલા મોટોરોલાના એન્જીનીયર માર્ટિન કપૂરે સૌ પ્રથમ મોબાઈલ ફોનથી વાત કરી હતી,માર્ટિનને મોબાઈલ ફોન માર્કેટમાં લાવવા માટે ૧૦ વર્ષનો સમય લાગ્યો હતો.તે વખતે મોબાઈલની કિમંત ૪૦૦૦ ડોલર (૨૪૪૦૦૦)હતી.માર્ટિનના વિચારનું જ પરિણામ છે કે આજે મોબાઈલ કોમ્યુનીકેશનનું શસક્ત માધ્યમ બનીને બહાર આવ્યું છે
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે.ભારતમાં ૯૫.૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ છે.
- યોગગુરુ બેલ્લુરું કૃષ્ણચંદર સુન્દરરાજા આયંગરનું ૯૬ વર્ષે પુણેની હોસ્પિટલમાં નિધન થયું.
- વિશ્વના ઓલ્ડેસ્ટ ક્રિકેટર નોર્મન ગોર્ડનનું ૧૦૩ વર્ષની વયે નિધન થયું છે.